Explore

Search
Close this search box.

Search

October 19, 2025 8:38 pm

નવીનતમ સમાચાર
best news portal development company in india

તસ્કરો તાળા તોડી સોનાચાંદી ના ઘરેણા સહિતની માલમત્તા ની ચોરી કરી નાસી છૂટ્યા

શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ રહેણાકના મકાનમાંથી લાખોની મત્તા ની ચોરી

તસ્કરો તાળા તોડી સોનાચાંદી ના ઘરેણા સહિતની માલમત્તા ની ચોરી કરી નાસી છૂટ્યા

જેમના ઘરે ચોરી થઈ તેઓ ભારતીય વાયુસેના મા ફરજ બજાવી ચૂકેલા હોવાનું પણ જાણવા મળ્યું છે.

શહેરના નારી વિસ્તારમાં આવેલ ખોડીયારનગર વિસ્તારમાં તસ્કરોએ લાખોની મત્તા ની ચોરી કરી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના વરતેજ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ ખોડિયારનગર વિસ્તારમાં ધંધુકા ખાતે નોકરી કરતા બીનાબેન નામના મહિલા નું ઘર આવેલું છે.બીનાબેન તેમના સૈનિક પતિ સાથે અહીં છેલ્લા 4 વર્ષ થી વસવાટ કરે છે.ગતરોજ બીનાબેન તેમના કામ પર તેમજ તેમના પતિ પણ બહાર હોય ત્યારે બીનાબેન ના ભાઈ અહીં ઝાડપાન ને પાણી પીવડાવવા માટે આવતા ઘર નું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.જે બાદ પરિવાર ને જાણ કરતા ઘરની અંદર તપાસ કરતા તેમના ઘર ની અંદર રાખેલા લાખોની કિંમત ના દાગીના તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

ચોરીના બનાવની જાણ થતા વરતેજ પોલીસ ની ટીમ દ્વારા તાત્કાલિક બનાવસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે બીનાબેન ની ફરિયાદ ને આધારે પોલીસે તસ્કરો ને મુદ્દામાલ સાથે ઝડપી લેવા તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો.

રિપોર્ટર ગિરિશભાઈ સરવૈયા

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જન્માક્ષર
જીવંત ક્રિકેટ સ્કોર